Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ તાલુકાના આદિજાતિ લાભાર્થીઓ માટે પશુપાલન અને ખેતીવાડી યોજનાઓ હેઠળ સહાય માટે અરજીઓ મંગાવાઈ

Share

ભરૂચ :

નેત્રંગ તાલુકો ના આદિજાતિ લાભાર્થીઓ માટે ટ્રાયબલ સબ પ્લાન (TSP) હેઠળ પશુપાલન અને ખેતીવાડીને પ્રોત્સાહન આપવા સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

Advertisement

યોજનામાં (૧) બકરા એકમ (૫+૧) અને (૨) પાવરડ્રીવન ચાફકટર મશીન ખરીદી પર સહાય આપવામાં આવશે. આ સહાયનો લાભ લેવા ઇચ્છુક આદિજાતિ લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ફોર્મ વિતરણની પ્રક્રિયા તા. 24/06/2026 થી 30/06/2026 સુધી હાથ ધરાશે. ત્યારબાદ તા. 01/07/2026 થી 07/07/2026 દરમિયાન લાભાર્થીઓએ નિયત નમૂનામાં અરજી ટપાલ મારફતે તાલુકા પશુદવાખાના, નેત્રંગ ખાતે મોકલવાની રહેશે.

યોજનામાં “વહેલા તે પહેલાના ધોરણે” અરજીઓ સ્વીકારવામાં આવશે. તેથી રસ ધરાવતા લાભાર્થીઓએ સમયસર અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી માટે લાભાર્થીઓએ તાલુકા પશુદવાખાના, નેત્રંગ નો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે।


Share

Related posts

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

ProudOfGujarat

વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત.

ProudOfGujarat

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રૂપે આજે પણ તકતી હયાત છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!