Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ટેશન ટાંકીની સફાઈને લઈ આજે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે

Share

 

ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ સ્ટેશન અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકીની સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે **આજે તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)**ના રોજ સ્ટેશન ટાંકી પરથી આપવામાં આવતો સાંજના સમયનો પાણી પુરવઠો બંધ રહેશે.

Advertisement

નગરપાલિકાએ સ્ટેશન ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તારના નાગરિકોને અગાઉથી જરૂરી પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

નગરપાલિકાના જણાવ્યા મુજબ **તા. 25 જુલાઈ, 2026 (શનિવાર)**થી સ્ટેશન ટાંકી પરથી પાણી મેળવતા તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.

ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને આ અંગે નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરી છે.


Share

Related posts

અંકલેશ્વર-ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, ડેન્ગ્યુનો વાવર હોવાથી વહેલા તકે કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ….

ProudOfGujarat

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝાટકો, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામુ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેધરાજાની તોફાની બેટિંગ : વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!