Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ પ્રતિન ચોકડી વિસ્તાર માં આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન ના મકાન નંબર ૮૦૪ માં રહેતા સલીમ ભાઈ મુલતાની તેઓ નું મકાન બંધ કરી સહ પરીવાર અજમેર શરીફ દરગાહ ખાતે દર્શનાથે ૨૬ તારીખ ના રોજ ગયા હતા . તેઓ દરગાહ ખાતે થી દર્શન કરી ૨૮ મી તારીખ ના રોજ પરત આવતા સલીમ ભાઈ ના મકાન ના બાજુ માં રહેતા લોકો એ તેઓ ના મકાન નું તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું સલીમ ભાઈ મુલતાની ૨૯ મી તારીખે એ પરત આવી મકાન માં પ્રવેશ કરી જોતા તેઓ ના મકાન ની તિજોરી તોડવામાં આવી હતી જેમાં થી અંદાજીત ૪૦ હજાર જેટલા ની રોકડ તેમજ સોના ચાંદી ના દાગીના મળી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંતની મત્તા ઉપર અજાણ્યા તસ્કરો હાથફેરો કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. તો બીજી તરફ અંકલેશ્વર જેવા શહેર માં બેફામ બનેલા તસ્કરો વિરુદ્ધ મકાન માલિકે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી …અત્રે ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન માં લગાવવા માં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલત માં હોય તસ્કરોને ચોરી ની ઘટના ને અંજામ આપવા માટે મોકળું મેદાન મળી ગયું હતું.

Share

Related posts

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

ProudOfGujarat

રાજપારડીનાં હોમ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા તમામ ૧૮ ઇસમોનાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!