Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજે એસટી,એસસી અને દલિત સમાજ દ્વારા ભારત બંધને વાલિયા ગામ ખાતે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું

Share

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એટરોસિટી એકટમાં બદલાવ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો જે ચુકાદાને એસસી,એસટી અને દલિત સંગઠનોએ વિરોધ નોંધાવી 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું જે એલાનને પગલે ભારતના કેટલાક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે વાલિયા ગામ ખાતે તાલુકના આદિવાસી સમાજના આગેવાન રજની વસાવા,વિજય વસાવા અને રવજી વસાવા તથા મહંમદ ફકીર સહિતના આગેવાનોએ આ ચુકાદાને વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને ભારત બંધના એલાનને ટેકો જાહેર કરી વાલિયા તાલુકા પંચાયતની કચેરી સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી વાલિયા ગામમાં રેલી સ્વરૂપે નીકળી શાંતિ ભર્યા વાતાવરણમાં ભારત બંધને સફળ બનાવવા વેપારીઓને આગ્રહ કર્યો હતો વાલિયા ગામમાં ભારત બંધને પગલે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિભાગીય પોલીસ વડા અને વાલિયા પોલીસ મથકના પીઆઇ જેઝ એન ધાસુર અને પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહ્યો હતો વાલિયા ખાતે ભારત બંધને સંપૂર્ણ સફળ પ્રતિસાદ સાંપડયો હતો

 

Advertisement

Share

Related posts

ભરૂચ : વિશ્વ સ્તનપાન દિવસની રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૬૯૧ જેટલી ટીમો કાર્યરત.

ProudOfGujarat

ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓ દ્વારા ઉજવાયો અનોખો પ્રવેશોત્સવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!