Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મા મંત્રી સૌરભ પટેલે અનેક કામોના લોકાર્પણ ખાત મૂહર્ત કર્યા…

Share

અંકલેશ્વર ખાતે ગુજરાત સ્થાપના દિન પુર્વે મંત્રી સૌરભ પટેલે કુલ રૂ. ૧૧૧૬.૮૪ લાખના કામોની લોકાર્પણ અને ખાત મુહર્ત વિધી શનિવારના રોજ કરી હતી. સૌરભ પટેલે શનિવારે સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રૂ.૧૪૧.૩૩ કરોડના ખર્ચે નિર્મણ પામેલી પેટા વિભાગીય કચેરીનુ લોકાર્પણ કર્ય હતુ. ત્યારબાદ તેઓએ સજોદ-હજાત નેશનલ હાઈવેને જોડતા રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગની ખાતમુહર્ત વિધિ કરી હતી. સાથે જ સજોદ ખાતે નિર્માણ પામનાર ૬૬ કે.વી સબસ્ટેશન નુ પણ ખાતમુહર્ત કર્યુ હતુ. આ સબસ્ટેશન રૂ.૭૭૦ લાખના ખર્ચે બનાવાશે. આ ઉપરાંત તેમણે માટીએડ એપ્રોચરોડ રૂ.૬૦ લાખ તેમજ ધંતુરીયા માટીયેડ કોચલી રોડ રૂ.૩૨  લાખના કામોની પણ ખાતમુહર્ત વિધી કરી હતી. આ ઉપરાંત હરિપુરા, સાજોદ ગામે રૂ. ૬ લાખના ખર્ચે નિર્મિત ડ્રેનેજલાઈન તેમજ એલ.ઈ.ડી લાઈટસનુ લોકાર્પણ કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપા શહેર તાલુકા – જિલ્લા સંગઠનના સભ્યો તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : આર્ટ ઓફ લિવિંગ દ્વારા અબ્રામા રોડ ગોપીની ગામ ખાતે સુદર્શન ક્રિયા, સત્સંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!