Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર અસ્મિતા ગ્રુપ દ્રારા “ગ્રીષ્મપર્વ” અંતર્ગત સુરીલી સંધ્યાનું આયોજન કરાયું….

Share

અંક્લેશ્વર ખાતે કાર્યરત અસ્મિતા ગ્રુપ દ્વારા તા.૨૮મીનાં રોજ શનિવારે સાંજે મા‍‍ શારદાભુવન ટાઉન હોલ ખાતે ગીત સંગીત ની સુંરીલી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તબીબો દ્વારા સંચાલિત અસ્મિતા ગ્રુપ ગીતસંગીત,નાટક અને કલાસાહિત્યનો વારસો જાળવતું અંક્લેશ્વરનું અગ્રીમ ગ્રુપ છે. શનિવારે આ ગ્રુપ દ્વારા “ગ્રીષ્મપર્વ” અંતર્ગત ગીતસંગીતની સુરીલી સંધ્યાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગીત-સંગીતકાર બેલડી સચિન તિમયે, આશિતા તિમયે, ઉપરાંત દશરથ ગઢવી તથા હાર્દિક પટેલ પરંપરાગત ગુજરાતી ગીતો તેમજ ભુલાઇ રહેલાં હવેલી ગીત-સંગીત અદભુત સુરાવતિઓ છેડીને ક્ષ્રોતાવર્ગને મંત્રમુગ્ધ કર્યા હતાં.ગુજરાતી ભાષા સંગીતની પ્રાચીન ધરોહરને જીવંત કરતાં આ મધુર ગીત સંગીત કાર્યક્રમને ક્ષ્રોતાવર્ગ મોડે સુધી માણ્યો અને બિરદાવ્યો હતો…

Advertisement

Share

Related posts

માંગરોળનાં વાંકલ ખાતે સરકારી કન્યા છાત્રાલયના નવીન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે વિધવા બહેનોને પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!