Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના પીરામણ રોડ સ્થિત નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઇ

Share

સમગ્ર વિશ્વભરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ખ્રિસ્તી સમાજમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. દેશભરના મુખ્ય ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા.
અંકલેશ્વર પીરામણ રોડ સ્થિત ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પણ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચને રંગબેરંગી લાઈટો, ક્રિસમસ ટ્રી, તારાઓ અને ચમકતી લાઈટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા. લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી પ્રભુ ઈશુને સ્મરી પ્રાર્થનાઓ કરી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્ટર રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, પ્રભુ ઈશુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે. આજના સમયમાં એ સંદેશાને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે.ક્રિસમસની આ પાવન સંધ્યાએ ચર્ચોમાં ભક્તિભાવ, શાંતિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રથયાત્રાનો રૂટ જાહેર કરાયો, ભગવાન જગન્નાથ આ રૂટ પર નગરચર્યા કરશે

ProudOfGujarat

“My livable Bharuch” અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેધરાજા વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!