Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરામાં સરકારી કચેરીઓના મકાનોનુ નવીનીકરણ હાથ ધરાયું

Share

શહેરામાં સરકારી કચેરીઓના મકાનોનુ નવીનીકરણ હાથ ધરાયું

વિજયસિંહ સોલંકી, શહેરા

Advertisement

પંચમહાલ જિલ્લામાં શહેરાનગરમા આવેલી સરકારીકચેરીઓનુ નવીની કરણકરવાનુ કામ હાલ ચાલી રહ્યુ છે.મામલતદાર કચેરી પ્રાન્ત અને તાલુકા પંચાયત સહીતની અન્ય કચેરીઓનુપણ નવીનીકરણ હાથધરવામા આવી રહ્યુ છે.ત્યારે નવી કચેરી બનવાથી લોકોની સુવિધામાં વધારો થશે.શહેરાનગરની પણ શાન વધશે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા નગરમા આવેલી જુની સરકારી કચેરીઓ તોડીને હાલ નવી કચેરી બનાવામા આવી રહી છે હાલમાં કચેરીનુ સ્થળાતંર કરીને માર્કેટીંગ યાર્ડ તેમજ આરામગૃહ પાસે આવેલા મકાનમાં ખસેડવામા આવી છે.હાલ કચેરીનુકામકાજ ચાલી રહ્યુ છે.સાડા આઠ કરોડ રુપિયાના ખર્ચે આ ઈમારતો બનવાની છે.નવી ઈમારત બનવાથી લોકોને પણ સારી સુવિધા મળી રહેશે. હાલ કચેરીઓ ખસેડવાને કારણે લોકોને એક કીમી દુર આવુ પડે છે.પણ હાલ થોડી મૂશ્કેલી વેઠવી પડશે.પછી સરળતા રહેશે. ઇમારતો બની જતા શહેરા નગરની મધ્યમાં જ સરળતાથી લોકો અવર જવર થઇ શકશે.જુની કચેરીઓ સાંકળી નાની હોવાને કારણે બેસવાની સુવિધાની પણ લોકોને અગવડ પડતી હતી. તે સમસ્યા હવે દુર થશે.આધુનિક ઇજનેરી પધ્ધતીથી આ ઇમારતો બનાવાઇ રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
l


Share

Related posts

ભરૂચ તાલુકાનાં કરમાડ ગામનાં 6 વર્ષ પહેલાના ચકચારી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ProudOfGujarat

ભરૂચમાં નકલી પોલીસના સ્વાંગમાં ઉઘરાણી: ધમકીઓથી ઘભરાયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!