Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ગાંધીબજાર.ચાર રસ્તા .ફાટા તળાવ.સહિત ના વિસ્તાર માં બિસ્માર બનેલા રોડ.રસ્તા અને ગંદકી મુદ્દે સ્થળ મુલાકાતે ગયેલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો લોકોએ ઘેરાવો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો…

Share

છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના ફાટા તળાવ.ગાંધી બજાર.ફુરજા ચાર રસ્તા સહિત ના વિસ્તારોમાં ગંદકી.ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરો મુદ્દે સ્થનિકોએ અવાર નવાર પાલિકા વિભાગ માં રજુઆત કરી હતી .તેમ છતાં કોઈ પણ પ્રકાર નો નિરાકરણ નહિ આવતા આજ રોજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી સ્થળ મુલાકતે નીકળતા સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો ઊઘડો લેતા એક સમયે સ્થળ ઉપર માહોલ ગરમાયો હતો અને લોકોના રોષ ને જોઈ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ ઉપર થી લોકોની સમસ્યાઓ સાંભળી નીકળતા હતા તો લોકો એ પણ તેઓની ગાડી નો ઘેરાવો કરવાનો પ્રયત્નો કર્યા હતો…
વધુ માં સ્થાનિક કાઉન્સીલર યુસુફ મલેક અને સ્થાનિક દુકાનદારો તેમજ રહેવાસીઓએ પાલિકા કચેરી ખાતે દોડી જઇ  પ્રમુખ અને ચીફ ઓફિસરે મુલાકાત લીધેલા સ્થળ ઉપર ની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માટે ની રજુઆત કરતા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે આગામી ડિસેમ્બર સુધી લોકો ની સમસ્યા ઓનો ઉકેલ લાવવા માટે તેમજ ફાટા તળાવ થી ફુરજા ચાર રસ્તા સુધી આરસીસી રોડ બનાવવા ની બાહેદરી આપતા મામલો થાળે પડ્યો હતો અને લોકોએ પણ પાલિકા ના નિર્ણય ને આવકારી તેઓએ આપેલી બાહેદરી વહેલી તકે પાલિકાનું તંત્ર નિભાવે તેવી માંગ ઉચ્ચારી હતી…

Advertisement

Share

Related posts

વાલીયા તાલુકાના કોંઢ ગામે ઘર આંગણે પાર્ક કરેલ ઇકો કારની ઉઠાંતરી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અતર્ગત ૩૬ કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર દંડ ફટકારાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

ProudOfGujarat

અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!