Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધી જયંતી સુધી ‘સ્વચ્છતા હી સેવા’ આજથી PMના લાઈવ સંવાદ..

Share

રાજકોટ: ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા માટે વધુ એક રાષ્ટ્રીય કાર્યક્રમ ‘સ્વચ્છતા હી સેવા’નો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ગાંધી જયંતી સુધી આ કાર્યક્રમ અમલી રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના કાર્યક્રમો જનજાગૃતિના પ્રયાસો થશે. પ્રથમ દિવસે સવારે પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના સંદેશનું લાઈવ પ્રસારણ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી, પદાધિકારી, નાગરિક, ગાંધી સ્વયં સેવકો, સખી મંડળની બહેનો વગેરે સામૂહિકરૂપે જાહેર સ્થળોની સફાઈ કરશે. રવિવારથી ગાંધીજયંતી સુધી 17 દિવસ દરરોજ કોઇને કોઇ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ઘન કચરાના ડોર ટુ ડોર કલેકશન માટેની કામગીરી કરવામાં આવશે તેમજ નિર્મિત શૌચાલયોનો ઉપયોગ કરી જાહેર શૌચ ન કરવા માટે સમજાવાશે.

ઘન કચરાના નિકાલ માટે 142 સાઈટ

Advertisement

ગામોમાં કચરાના નિકાલ માટે સૌથી મોટી સમસ્યા ડમ્પિંગ સાઈટની છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમારા રાણાવસીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્યજનો પાસે કચરાના ડમ્પિંગ માટે કોઇ નિશ્ચિત સાઈટ નથી એટલે કોઇ પણ જગ્યાએ નિકાલ કરાઈ રહ્યો છે. આ મામલે ઘણી ચર્ચાઓ થઇ છે. આ માટે ઘનકચરાના નિકાલ માટે સેગ્રિગેશન શેડ બનાવવામાં આવશે. જિલ્લામાં આ માટે 142 જગ્યાઓ નક્કી થઇ છે. 9 શેડ બની ગયા છે અને નિકાલ શરૂ થઇ ગયો છે. ઘનકચરામાંથી પ્લાસ્ટિક જુદું પાડવામાં આવશે. બાયોડિગ્રેડેબલ કચરા માટે ખાડા ખોદીને કમ્પોઝ્ટ પીટ બનાવાશે તેમાં કચરો ભેગો કરી ખાતર બનાવવામાં આવશે.


Share

Related posts

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો

ProudOfGujarat

માઇક્રોફાઇનાન્સની 91 ટકા લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છેઃ સા-ધન ભારત માઇક્રોફાઇનાન્સ રિપોર્ટ 2025

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!