Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં લવયાત્રી ફિલ્મ રીલીઝ નહીં થવા દેવા હિન્દુ સંગઠનોની રજૂઆત

Share

 

ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા લવયાત્રીના ફિલ્મના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ફીલ્મને રીલીઝ થતી અટકાવવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશ અને ગુજરાતમાં ફિલ્મ લવરાત્રિ નામનો વિરોધ થતા તેનું નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું હતું.પરંતુ ફિલ્મનું નામ બદલવાથી ફિલ્મનો હેતુ, ડાયલોગ,ગીતો, પરિવર્તન થતું નથી. માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રિમાં ગવાતા ગરબા(ગીત )રમતા (રાસ) ગરબાનો મજાક બનાવમાં આવ્યો છે.અધ્યાત્મક ને વ્યભિચાર સાથે સરખવામાં આવ્યા હોવાના આક્ષેપ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ થવાથી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તેમ છે.જેથી ફિલ્મને સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ કાર્યકરોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.


Share

Related posts

જંબુસરના ખાનપૂર ખાતેથી ગૌમાંસ ભરેલ પિક અપ ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

રાજકોટમાં ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી કરી તસ્કરો ચોરી કરી ફરાર

ProudOfGujarat

રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ, 9 દિવસ માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!