અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવનો રંગ જામી ચુક્યો છે. ત્યારે આરતીનો મહિમા પણ એટલોજ મહત્વનો બની રહ્યો છે.
અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય તેમજ રાજ્યનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર શહેરનાં ગુંજ સોસીયલ ગૃપ તથા “ રંગ રસિયા “ ગૃપ દ્વારા આયોજીત મેગા નવરાત્રિ મહોત્સવની મુલાકાત લીધી હતી અને માતાજીની આરતીનો લ્હાવો પણ લીધો હતો. માં આધ્યાશક્તિની આરાધનાનાં મહાપર્વ એવાં આસો નવરાત્રિના ઈશ્વરસિંહ પટેલે સૌનું કલ્યાણ થાય એવી પ્રાથના કરી હતી તેમજ શહેરી વિસ્તારનાં આયોજીત ગરબા મહોત્સવનાં આયોજકો તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતુ. અને આ પરંપરા જળવાઈ રહે એવી પણ આશા વ્યક્ત કરી હતી.
Advertisement
