Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જિલ્લાના તમામ ધારાસભ્યો નારાજ : સાંસદ

Share

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે તાજેતરમાં તાલુકાના હાદ્દેદારોની નિમણૂંક કરી છે. જેમાં આદિવાસીઓની બાદબાકી કરી અન્યાય કરવા સાથે આદિવાસીની વસ્તિ ધરાવતાં વિસ્તારમાં ક્ષત્રિયને હોદ્દો અપાયો હોવાનો રોષ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વિવિધ તાલુકાઓના હોદ્દેદારોની નિમણૂંક કરી છે. તેમાં આદિવાસીઓની બાદબાકી કરવામાં આવી હોવાનો વ્યથા સાંસદ મનસુખ  વસાવા ઠાલવી રહ્યાં છે. તેમણે સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકી છે જેમાં તેમણે રોષ વ્યક્ત કરતાં લખ્યું છે કે, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઇ મોદીએ મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તેમજ સાંસદ તરીકે કોઇને પણ વિશ્વાસમાં લીધાં વિના જ તેમજ જિલ્લા પ્રમુખ સાથે વારંવાર થયેલી મિટીંગમાં તેમને ધારાસભ્યો અને સાંસદ દ્વારા અપાયેલી સુચનાઓની તેમણે અવગણના કરીને તેમની આસપાસની ટોળકીના દબાણથી હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લેતાં નથી અને બીટીપી-આમ આદમી પાર્ટીમાંથી આવેલાં લોકો કે જેઓ લોક સભાની ચૂંટણીમાં ભાજપને બેફામ ગાળો ભાંડતા હતાં, મોદી સાહેબની સતત ટીકા કરતાં હતાં તેમના પર વિશ્વાસ રાખી આ નિમણૂંક કરી છે. ભાજપના કાર્યકર્તાઓમાં આનાથી ભારે નારાજગી  છે તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજ ફાટક પાસે વેલ્ડીંગ કામમાં આવેલ ટેન્કરમાં બ્લાસ્ટ, દુર્ઘટનામાં 1 નું મૃત્યુ, અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

ખેડૂત વિરોધી કાયદો રદ્ કરવા માંગરોળના કોંગ્રેસ આગેવાનોની માંગ

ProudOfGujarat

પતિના ગેરવર્તન અને પરસ્ત્રી સંબંધથી ત્રસ્ત મહિલાને 181 અભયમ ટીમે આપ્યો સહારો, કાઉન્સેલિંગથી સુખદ સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!