Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં વિવિધ સ્થળો પર વિધર્મીઓ દ્વારા હત્યાઓના ધૃણાસ્પદ કૃત્યોના વિરોધમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

Share

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિધાર્મીઓ દ્વારા ભાવનગરના મહુવામાં, કચ્છના મુંદ્રામાં, ગાંધીનગરના છત્રાલમાં, સુરેન્દ્રનગરના હળવદમાં કેટલાક વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા તથા હત્યાના ધૃણાસ્પદ કૃત્યોના નરસંહારને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સભ્યોએ પોતાનો રોષ વ્યકત કરી વખોડી કાઢી છે. આવા અસામાજિક તત્વોની તાત્કાલિક અસરથી ધરપકડ કરી સખત કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિના વિલંબે આવા અસામાજિક તત્વોને વહેલી તકે પકડી જેલ ભેગા કરે અને હિન્દુ સમાજને રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાલેજ વિસ્તારમાંથી જુગાર રમતાં 6 જુગારીઓ ઝડપી રૂ.11,000 કરતાં વધુની મત્તા જપ્ત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

વિશ્વ શાંતિ મહાકાળી મંદિર, ઓસારા 3 માર્ચે ચંદ્રગ્રહણને કારણે બંધ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!