Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

Share

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે રેવાભાઈ શંકરભાઈ તડવીના ઘર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે કામગીરી તકલાદી હોવાનુ જણાયું છે તેમજ આ કામગીરીમાં સાધન સામગ્રી પણ યોગ્ય ગુણવત્તા યુક્ત વપરાતી ન હોવાની બુમ ઉઠી છે આ બાબતે અગાઉ પણ ઘણી વાર જે તે વહીવટતંત્રની કચેરીએ રજુઆતો કરાઈ હોવાનું જણવા મળેલ છે તેમજ સંરક્ષણ દિવાલની કામગીરીમાં નદીના માટીવાળા ગ્રેવલ વપરાય છે તેમજ સીમેન્ટ પણ ઓછો વપરાતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો આ કામગીરી સારી યુગ્ય ગુણવત્તાવાળી થાય તેવા હેતુથી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તથા પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જીતાલી ફાટક પાસે ટ્રિપલ અકસ્માત: બાઈક–થાર–રીક્ષા અથડાયા, ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભરૂચ માં આયોજીત જાહેર પર્યાવણિય સુનાવણી જે ગેરકાયદેસરની અને ગેરબંધારણીય જેથી તેનો કરાતો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!