Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાના આજવા રોડ પર જૂથ અથડામણમાં એક યુવકનું મોત.

Share

વડોદરામાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. ગઈકાલે આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા મોડી રાત્રે તેમના ઘરે જતા હોય તે સમયે જૂની અદાવતમાં મધ્યસ્થી કરવા ગયેલા હોય તે સમયે તેઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા અંતે સયાજી હોસ્પિટલમાં તેમને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

વડોદરાના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા ગઇકાલે મોડી રાત્રે તેમના ઘરના નાકે આવેલા જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે થયેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા તે સમયે જૂની અદાવતનો ખાર રાખી સામાપક્ષે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર ગંભીર રીતે હુમલો કરતા તેઓને શરીરે અત્યંત ઈજાઓ પહોંચી હતી આથી તેમને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો એવો છે કે આદર્શ શર્મા ગઈકાલે રાત્રે પેટ્રોલ પુરાવવા માટે ગયા હોય તે સમયે ઘરે પરત ફરતા હતા ત્યારે નાકે ઝઘડો થયો હોવાની બાબતે તેઓ ઝઘડામાં ઓળખે તે વ્યક્તિને છોડાવવા માટે ગયેલા હોય તે સમયે આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા. જ્યા ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચકયો હોય અને જૂની અદાવતનો ખાર રાખી સામાપક્ષે આદર્શ શર્મા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આદર્શ શર્મા ગંભીર રીતે ઇજાઓ પહોંચી હોય આથી તાત્કાલિક અસરથી તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોય આથી આદર્શ શર્માના બહેને તેઓને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ પાછળ કોનો હાથ હોય તે સહિતની બાબતોનો તાગ મેળવવા આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં આચાર સંહિતાનું કેમ થયું ઉલ્લંધન : કોઈ પાર્ટીની ચાલ કે શું ?

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે તસ્કરોનો તરખાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!