Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

Share

વીજ કરંટના પગલે મોત નિપજતા જીઇબી તંત્ર સામે લોકોનો પીટકાર.

ભરૂચ. તા. 2/12/2018

Advertisement

ભરૂચ નગરના ફલશ્રુતિનગર વિસ્તારમાં આવેલ રતનનગર પાસે 2 ગાયોના વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા. ગાયોને મૃત હાલતમાં જોતા અને નજીકમાં જીવંત વાયર હોવાથી લોકોએ જીઇબી તંત્રને જાણ કરી હતી.

આજરોજ વહેલી સવારના સમયે રતનનગર વિસ્તારમાં આવેલ કચરામાં 2 ગાયો ફરી રહી હતી તે સમયે અચાનક વીજ કરંટ લાગતા બન્ને ગાયોના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે જીઇબીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાયોના પોસ્ટમોર્ટમ બાદ કંઈ રોટ અને ક્યાં કારણોસર મોત નિપજ્યા તે અંગેની સંપૂર્ણ વિગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવે તેવી સંભાવના છે. તે સાથે આ બનાવ અંગે જીઇબી તંત્ર સામે ફરિયાદ પણ નોંધાઇ તેવી શકયતા નકારી શકાતી નથી.


Share

Related posts

પાલેજ નગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડી જી વી સી એલ કચેરીનું કામકાજ ખોરવાયુ,

ProudOfGujarat

ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતી બે મહિલા સહિત 3 ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ શહેરમાં લોક ડાઉન 4 માં મળેલી છૂટને પગલે ફરીવાર શહેરમાં વાહન વ્યવહાર ધમધમતો થતાં વિવિધ રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!