Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

Share

ભરૂચ નગર ખાતે મિલકત વેરો વસુલ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ કડક નીતિ અપનાવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સપાટો બોલાવતા રૂપિયા ૧ લાખ કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવી ૫ જેટલી મિલ્કતને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં ૨ દુકાન નર્મદા માર્કેટની તેમજ ૩ મિલકત રૂત્વા પેલેસના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. જે પણ મિલકતને સીલ કરવામાં આવી છે તેની હવે હરાજીની પક્રિયા કરવામાં આવશે. જોકે હજી પણ આ મિલકતના માલિકો ૧૫ દિવસમાં વ્યાજ પેન્લટી સાથે વેરો ભરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સર્ટીફિકેટ, ગિફ્ટ વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસના ખોળામાં રમે છે.સ્વતંત્ર કામ કરતી નથી તે અંગે લોકોમાં આક્રોશ!.સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!