Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

Share

ભરૂચ નગર ખાતે મિલકત વેરો વસુલ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ કડક નીતિ અપનાવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સપાટો બોલાવતા રૂપિયા ૧ લાખ કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવી ૫ જેટલી મિલ્કતને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં ૨ દુકાન નર્મદા માર્કેટની તેમજ ૩ મિલકત રૂત્વા પેલેસના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. જે પણ મિલકતને સીલ કરવામાં આવી છે તેની હવે હરાજીની પક્રિયા કરવામાં આવશે. જોકે હજી પણ આ મિલકતના માલિકો ૧૫ દિવસમાં વ્યાજ પેન્લટી સાથે વેરો ભરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

આમોદ તાલુકા ના સુથોદ્રા ના ગામ લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા ચાર રસ્તા પર સિલિકા ભરીને જતી ટ્રકમાં આગ લાગી

ProudOfGujarat

હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!