Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વાલિયા રૂપનગરનાં એસ.આર.પી. કેમ્પનાં 2 જવાનો કોરોનાને હરાવી સાજા થયા.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં રૂપનગર એસ.આર.પી. કેમ્પનાં બે જવાનોએ કોરોના વાઇરસને હરાવી દીધો છે. આ બે જવાનો કોરોના વાઇરસને હરાવી સજા થતાં તેમણે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હોસ્પિટલનાં સ્ટાફે તેમણે તાળીઓનાં સન્માન સાથે રજા આપી છે. ભરૂચ જીલ્લામાં હાલ કોરોના વાઇરસનાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેની સામે કોરોના પોઝિટીવ દર્દીઓનો સાજા થવાનો સિલસિલો પણ ચાલુ રહ્યો છે. સાજા થવાના કેસમાં આજરોજ એસ.આર.પી. કેમ્પનાં આ બે જવાનોનો પણ ઉમેરો થયો છે. એક તરફ કોરોના પોઝિટીવ કેસો સતત સામે આવી રહ્યા છે અને બીજી તરફ દર્દીઓ કોરોનાને હરાવી સાજા પણ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાહેર જનતાને સાતમું સંબોધન…

ProudOfGujarat

ઝઘડીયા : રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા અનાજની ૨૫૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!