Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

Share

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …
સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ.૪ લાખ કરતા વધુ મત્તા ની ચોરી

ભરૂચ નગરના શ્રવણ ચોકડી પાસે આવેલ મંગલતીર્થ સોસાયટી માં રૂ.૪લાખ કરતા વધુ મત્તાની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો મકાનમાલિક કુટુંબ સાથે લગ્ન પ્રસંગ અર્થે સુરત ગયા હતા ત્યારે આ ચોરીનો બનાવ બન્યો હતો .
આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી દિવ્યાનત
વસંતલાલ ઉભરાટવાળા કેજે સન ફાર્મા કંપની અંકલેશ્વર ખાતે ફરજ બજાવે છે તેઓ કુટુંબ સાથે સુરત લગ્ન પ્રસંગમાં તા ૩૦-૧ ના સવારે પોતાના મકાન ન બી -૧૩૯ ને તાળું મારી ગયા હતા તેવામાં પાડોશીનો તા ૧-૨ ના સવારના સમયે ફોન આવ્યો હતો કે ચોરીનો બનાવ બન્યો છે દિવ્યકાંત ભાઈએ આવીને જોયુંતો મુખ્ય દરવાજાના તાળા તૂટેલા હતા .તિજોરી તોડી ડ્રૉઅરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ .૨૫૦૦૦ મળી કુલ રૂ.૪૦૫૦૦૦ ની મત્તા ની ચોરી થઈ હોવાનું જણાયું હતું આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાતા પી આઈ ગોસ્વામી બનાવની તપાસ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!