Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

Share

અમદાવાદના ટીવી૯ ના પત્રકારની હત્યા બાદ સમગ્ર રાજ્યના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હત્યાના ૪ દિવસ બાદ પોલીસ કળીઓ મેળવવામાં નિષ્ફળ જતા નવસારીના પત્રકારો દ્વારા નાયબ કલેકટરને આવેદન આપી તપાસ સીઆઈડી ક્રાઈમને સોપવામાં આવે તેવી માંગ કરી હતી.

અમદાવાદમાં ટીવી૯ના યુવા પત્રકાર તરીકે કામ કરતા ચિરાગ પટેલની સંકાસ્પદ હાલતમાં સળગાવેલી લાસ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો મીડિયા જગતમાં હડકંપ મચી ગયો હતો. હત્યાના ૪ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકી હોવાથી ગુજરાતના તમામ પત્રકારોમાં રોષ વ્યાપી ગયો છે અને જેને પગલે નવસારી જિલ્લાના પત્રકારો દ્વારા આજરોજ નવસારીના અધિક કલેકટરને આવેદન પાઠવી ઝડપી અને તટસ્થ તપાસ થાય તેમજ કેશ સીઆઈડી ક્રાઈમને સોપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદન આપ્યા બાદ અમદાવાદ પોલીસે પેસ કોન્ફરન્સ કરીને ચિરાગ કેશની તપાસ અંગે ખુલાસા કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે કોલ ડીટેલમાં ચિરાગે સમગ્ર દિવસ દરમ્યાન કોઈ આઉટ ગોઇંગ કોલ કર્યા ન હતા. તો તેના સરીરે અંદરના ભાગોમાં પણ કોઈ ઈજાઓ સામે આવી નથી તેમ જણાવ્યું હતું. તો પોલીસે ૭ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. તો ગુમ મોબાઈલની પણ શોધખોળ ચાલી રહી છે. તપાસ માટે ૬ જેટલા પીએસઆઈ- સાયબર ક્રાઈમ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. તપાસમાં બાકી લેણાના નાણાની વિગતો પણ સામે આવી છે. તેમાંજ હજુ પણ તટસ્થ તપાસ થશેની ખાત્રી પોલીસ દ્વારા આપવામાં આવી છે. જોકે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ હજુ ગોળ ગોળ જવાબ આપી રહી છે.

Advertisement


Share

Related posts

લીંબડીમાં માનવાધિકાર અને મહિલા બાળ વિકાસની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચના કેસરોલ ગામ ખાતેના તળાવમાંથી ડીકંપોઝ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે પત્રકારોએ મહેસુલ મંત્રી પર પ્રશ્નોની ઝડી વરસાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!