Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાય ની અંતિમવિધિ ધાર્મિક રીતે કરવામાં આવી….

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર શહેરમાં ગાયનું મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ બહાર આવી રહી છે ત્યારે અંકલેશ્વર ના વોર્ડ નંબર-3 માં રામનગર પાસે પ્લાસ્ટિકની બેગ ખાવાથી એક ગાય નું મૃત્યુ થયું હતું.આ ગાયનો મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળ ઉપર જ પડી રહ્યો પરંતુ સ્થાનિક નગરપાલિકાના કોઈપણ સભ્યએ આ બાબતનું ધ્યાન ન લેતા છેવટે અંકલેશ્વરના જાગૃત નાગરિક અને શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાયને હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ અંતિમ વિદાય આપવામાં આવી જ્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ના વોર્ડમાં આવી ઘટનાઓ બનતી હોય અને આડા કાન કરી જો ચલાવી લેવામાં આવતું હોય તો પછી અન્ય સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરશે તેવું પણ નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે.ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા આવા મૂંગા પ્રાણીઓ માટે શું પગલાં ભરશે એ હવે જોવાનું રહ્યું.

Advertisement


Share

Related posts

રાજપીપલા ખાતે “આંતરાષ્ટ્રિય વિકલાંગ દિન”ની થયેલી ઉજવણી.

ProudOfGujarat

માર્કેટ ઇન્સ્પેક્શન : વડોદરામાં મસાલા વિક્રેતા પર આરોગ્ય વિભાગની ત્રણ ટીમના દરોડા

ProudOfGujarat

ઝઘડિયાની મુલદ ચોકડીના સર્વિસ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બે ઇસમોને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!