Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ માં ચૈત્રી પૂનમ નાં મેળા ની તડામાર તૈયારી શરૂ…

Share

પાલેજ ચીશતીયા નગર કમ્પાઉન્ડ માં ચૈત્રી પૂનમ નાં મેળા નો કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં તૈય્યારીઓ નો આરંભ થયો છે.

૧૮મી એપ્રિલ ના રોજ સંદલ ની વિધિ માંગરોળ નાં ગાદીનસીન પીરઝાદા સલીમુદ્દીન ફરીદઉદ્દીન ચિસ્તી હસ્તે રાખવા માં આવી છે. જેના બીજા દિવસ એટલે કે ૧૯ મી એપ્રિલ નાં રોજ ભવ્ય મેળો ભરાશે.મેળા ની રાત્રે કવ્વાલી ના પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મશહૂર કવ્વાલ સૂફી નિઝામ કવ્વાલી રજૂ કરશે.

Advertisement

કોમી એકતા અને ભાયચાર માટે જાણીતાં પીર નિઝામુદીન મોટા મિયા સાહેબ ની દરગાહ ઉપર દર વર્ષે હિન્દૂ મુસ્લિમ અનુયાયો મોટી સખ્યાં માં ઉપસ્થિત રહે છે અને મોડી રાત સુધી મેળા ની મજા માણે છે. જેથી આ મેળા ને ચૈત્રી પૂનમનો મેળો પણ કહેવાય છે.

આ પ્રસંગે ડો.માતાઉદ્દીન ચિસ્તી રચીત “અસ્તિત્વનો અર્ક” પુસ્તક નું વિમોચન પ્રસંગે જાણીતાં સાહિત્ય કરો સર્વશ્રી ડો.દિનકર જોશી,ડો.સુભાષ ભટ્ટ તેમજ પત્રકાર શ્રીમતી જ્યોતિ ઉનડકાર,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નાં પૂર્વ કુલપતિ ડો.દક્ષેશ ઠાકર પ્રકાશક ચંદ્રમોલી શાહ ઉપસ્થિત રહેશે. આશિષ વચન આદરણીય હિઝ હોલીનેશ સલીમુદ્દીન ચિસ્તી પીરઝાદા રજૂ કરશે.

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

ભરૂચનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પંચાયતી ચૂંટણી અંગે સજ્જ….

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં હાલોલ નગરપાલિકાનાં તીર્થવિલા કન્ટેઇનમેન્ટ વિસ્તારને ક્લસ્ટરમુક્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!