Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા કોઇપણ જાતની રોકટોક વિના છેલ્લા ઘણા સમયથી કેમિકલ વાળી પ્લાસ્ટીકની બેગ ધોઈ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ઠલવાઈ રહ્યું હોવાનું નજરે પડી રહું છે.આ અંગે પર્યાવરણ પ્રેપીઓએ અનેકવાર જી.પી.સી.બી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલા નહી ભરાતા માથાભારે ભંગારીઓ બેફામ બન્યા છે.આ ભંગારીયા કેમીકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોઈ દુષિત પાણી આમલાખાડીમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે છોડી નદીને પ્રદુષિત કરી રહ્યા છે.ત્યારે આવા બેજબદાર ભંગારીયાઓ સામે જી.પી.સી.બી.ક્યારે પગલા લેશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે.

Advertisement


Share

Related posts

અભિનેત્રી સીરત કપૂરે ઇન્ડસ્ટ્રીમાં 8 વર્ષ પૂરા કર્યા, કહે છે, 8 વર્ષ પહેલા મેં આ સપનાને મારું દિલ આપ્યું હતું.

ProudOfGujarat

સુનીલ શેટ્ટીનું ફિલ્મ ‘કેસરીવીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ’ નું પોસ્ટર રિલીઝ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગુમાનપુરા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!