Proud of Gujarat
FeaturedGujaratHealthWorld

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ અને અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરમાં 7000 ઘરોમાં એક દિવસમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. “મેલેરિયાને રોકો ન આપો એને ફેલાવાનો મોકો” અને “મેલેરીયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી” સ્લોગન અંગે સમજ આપવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર આયોજિત સેમિનારમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ. મકવાણા સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ડીઆઇઇસીઓ વિજય પંડિત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આરોગ્ય કર્મચારીઓની વિવિધ ટીમો દ્વારા વિરમગામ શહેરના 7000 ઘરોમાં એક સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. લોકોને મેલેરીયાના રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી હતી. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે. ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.


Share

Related posts

રાજપીપળા : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોગા અને મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને મળ્યું અર્થશાસ્ત્ર માટે નોબેલ સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!