Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર: જળકુંડના મહાદેવના મંદીરના પટાંગણમાંથી પાંચ જેટલા ચંદનના વૃક્ષોની ચોરી…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરના કૈલાશ ટેકરી જળકુંડના ભવાની શંકર મહાવીર મંદિરમાંથી પાંચ જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.અંકલેશ્વરના નવાબોરભાઠા ગામમાં આવેલ કૈલાશ ટેકરી સ્થિત જળકુંડના ભવાની શંકર મહાવીર મંદિર જળકુંડ ખાતેથી મંદિર ટ્રસ્ટ દ્વારા ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે ચંદનના પાંચ જેટલા વૃક્ષોનું ગત રાત્રીના સમયે ચંદન ચોર ટોળકી મંદિર પરિસરમાં પ્રવેશી વૃક્ષોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચંદનના વૃક્ષોની ચોરી થતા મંદિરના ટ્રસ્ટીઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ચંદન ચોરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામનાં આશા વર્કરોને મહેનતાણું ન મળતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબેબરાત પર્વની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

નવસારી જિલ્લાનાં ખેરગામમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!