Proud of Gujarat
FeaturedGujarat

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

માંડલ થી વિરમગામ રોડ પર શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ આવેલ છે અને આ સંકુલમાં જનસેવા હોસ્પિટલ કાર્યરત છે. આ સિદ્ધેશ્વર હનુમાનજી દાદાના પરમભક્ત અને હોસ્પિટલના ડો. પંકજભાઈ પટેલ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘમાં અનેક ભક્તો જોડાયા હતા આ પગપાળા સંઘ ફુલકીથી નીકળીને પાંચ દિવસે સારંગપુર પહોંચ્યો હતો. સૌ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને ડૉ.પંકજભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા કષ્ટભંજન હનુમાનજી દાદાના શીખર પર ધજા ચડાવવામાં આવી હતી. આ સંઘમાં માંડલ અને આજુબાજુના વિસ્તારમાંથી અનેક ભક્તો જોડાયા હતા અને સંઘમાં જમવાની, પીવાના પાણીની, દવાઓની તમામ વ્યવસ્થા કરી હતી.

Advertisement


Share

Related posts

નડિયાદ જવાહર નગરના ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવાશે

ProudOfGujarat

રાજપીપળા : કરજણ નદી કિનારે આવેલો રામગઢ – રાજપીપળાને જોડતો પુલ વચ્ચેથી બેસી પડતા સમારકામ માટે પુલ બંધ કરી દેવાતા ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ઉત્કર્ષ સમારોહનું આમંત્રણ લાભાર્થીઓને ઘરેઘરે જઇને પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!