Proud of Gujarat
FeaturedGujarat

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

માંડલ થી વિરમગામ રોડ પર શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ આવેલ છે અને આ સંકુલમાં જનસેવા હોસ્પિટલ કાર્યરત છે. આ સિદ્ધેશ્વર હનુમાનજી દાદાના પરમભક્ત અને હોસ્પિટલના ડો. પંકજભાઈ પટેલ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘમાં અનેક ભક્તો જોડાયા હતા આ પગપાળા સંઘ ફુલકીથી નીકળીને પાંચ દિવસે સારંગપુર પહોંચ્યો હતો. સૌ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને ડૉ.પંકજભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા કષ્ટભંજન હનુમાનજી દાદાના શીખર પર ધજા ચડાવવામાં આવી હતી. આ સંઘમાં માંડલ અને આજુબાજુના વિસ્તારમાંથી અનેક ભક્તો જોડાયા હતા અને સંઘમાં જમવાની, પીવાના પાણીની, દવાઓની તમામ વ્યવસ્થા કરી હતી.

Advertisement


Share

Related posts

મોરબી : શીતળા માતાજીના મંદિરે સાતમ નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત જન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!