Proud of Gujarat
FeaturedGujarat

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

માંડલ થી વિરમગામ રોડ પર શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ આવેલ છે અને આ સંકુલમાં જનસેવા હોસ્પિટલ કાર્યરત છે. આ સિદ્ધેશ્વર હનુમાનજી દાદાના પરમભક્ત અને હોસ્પિટલના ડો. પંકજભાઈ પટેલ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘમાં અનેક ભક્તો જોડાયા હતા આ પગપાળા સંઘ ફુલકીથી નીકળીને પાંચ દિવસે સારંગપુર પહોંચ્યો હતો. સૌ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને ડૉ.પંકજભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા કષ્ટભંજન હનુમાનજી દાદાના શીખર પર ધજા ચડાવવામાં આવી હતી. આ સંઘમાં માંડલ અને આજુબાજુના વિસ્તારમાંથી અનેક ભક્તો જોડાયા હતા અને સંઘમાં જમવાની, પીવાના પાણીની, દવાઓની તમામ વ્યવસ્થા કરી હતી.

Advertisement


Share

Related posts

ચોટીલા ડુંગર પર રાજ્યકક્ષાની પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

ગત ૧૬ મીને મંગળવારે વનવિભાગ દ્વારા ને પકડવા માટે પાંજરૂગોઠવ્યું હતું અને રાતે દિપડો પાંજરે પુરાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!