Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ-આખરે ક્યારે દૂર થશે જળ સમસ્યા,આ વિસ્તારોમાં જળ માટે લોકો વલખા મારી રહ્યા છે,ટેન્કર રાજ પર નિર્ભર ગામો.જાણો વધુ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન સહિતના આસપાસ ના ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે,ગામ માં હેન્ડ પંપ નકામા બન્યા છે તો ટેન્કર પર નિર્ભર રહી ગ્રામ જનો પાણીની બુંદ બુંદ સાચવી રહ્યા છે,ત્યારે વિકાસીલ ગુજરાતમાં સવાલ એ થાય કે શું ખરેખર મેટ્રો સીટી માટે વિકસિત ગુજરાત છે,આ પ્રજા ના મત મેળવનારા નેતાઓ શુ કરી રહ્યા છે,દેશની આઝાદી બાદ પણ આપણે પ્રજાને આ સમસ્યા માંથી મુક્તિ નથી અપાવી શક્યા.

Advertisement

નેત્રંગ તાલુકાના કેટલાય એવા ગામો છે જ્યાં સરકાર ની એકેય પાણી પુરવઠા યોજના કારગત નીવડી નથી,ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી, નાળા સહિતના જળસ્ત્રોત સુકાઇ ગયાં છે. મોટા ભાગના ગામોમાં આવેલાં હેન્ડપંપ ચાલતા નહિ હોવાથી ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે અથવા તો એવી માંગ ઉઠી છે.

ગૃહિણીઓને માથે બેડા મુકીને દુર-દુર સુધી પાણી ભરવા આકરા તાપમાં જવું પડે છે.. ટેન્કર આવે અને પાણી ભરવા જાય ત્યારે પાણી ભરવા માટે જાણે પડાપડી લાગી જાય છે, લાંબી-લાંબી કતારો જોવા મળે છે. કેટલાક ગામોમાં પાણીના ટેન્કર પણ નહીં હોવાથી ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે.આ સમસ્યાનું કોઇક દિવસઃતો નિરાકરણ આવશેને તેવી આશ રાખીને લોકો જળ વચ્ચે ઝઝૂમતું જીવન જીવવા હાલ તો મજબૂર બન્યા છે.

કયા ગામોમાં છે પાણીની તકલીફ::- વડપાન, નેત્રંગ, આટખોલ, ભાંગોરીયા,, ફોકડી, ઉમરખડા, કાકડકુંઈ, ઝરણા, બીલોઠી અને કોઈલી માંડવી ગામોના હજારો લોકો આજે મળે તેટલું નસીબ જેવી નીતિ સાથે ટેન્કરથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.


Share

Related posts

ભાલોદ ગામે વડાપ્રધાન ના જન્મદિન ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ નર્મદા કિનારે આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ProudOfGujarat

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

ProudOfGujarat

શ્રી ખંભલાય માઁ માંડલ કુત્સસ્ ગૌત્ર પરિવારે ગોત્રજ નામની ધાર્મિક વિધિ કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!