Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને નોતરું આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સુરતમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અધિકારીઓને ગેરકાયદેસર ચાલતા ટ્યુશન અને સ્કૂલોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.સુરત ખાતે બનેલ ઘટનામા આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હતું ત્યારે અંકલેશ્વરમાં પણ ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર વિધુત બોર્ડ આ બાબતને ક્યારે ધ્યાનમાં લેશે અને ક્યારે આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરની બાઉન્ડ્રી બનાવવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો જોવા મળી રહ્યા છે જેને જોતા લાગી રહ્યું છે અંકલેશ્વર વિદ્યુતબોર્ડ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : દેત્રાલ ગામની ગ્રામસભામાં રજૂઆત કરનારને સરપંચના પતિ અને પુત્રએ માર મારતા સી.સી.ટી.વી વાયરલ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે પત્તા પાનાનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!