Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને નોતરું આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સુરતમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અધિકારીઓને ગેરકાયદેસર ચાલતા ટ્યુશન અને સ્કૂલોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.સુરત ખાતે બનેલ ઘટનામા આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હતું ત્યારે અંકલેશ્વરમાં પણ ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર વિધુત બોર્ડ આ બાબતને ક્યારે ધ્યાનમાં લેશે અને ક્યારે આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરની બાઉન્ડ્રી બનાવવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો જોવા મળી રહ્યા છે જેને જોતા લાગી રહ્યું છે અંકલેશ્વર વિદ્યુતબોર્ડ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે.

Advertisement


Share

Related posts

ગુજરાત સાયન્સ સિટી ખાતે એક દિવસીય ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

ProudOfGujarat

સંવિધાન દિવસ નિમિતે સુરતમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!