Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને નોતરું આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સુરતમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અધિકારીઓને ગેરકાયદેસર ચાલતા ટ્યુશન અને સ્કૂલોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.સુરત ખાતે બનેલ ઘટનામા આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હતું ત્યારે અંકલેશ્વરમાં પણ ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર વિધુત બોર્ડ આ બાબતને ક્યારે ધ્યાનમાં લેશે અને ક્યારે આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરની બાઉન્ડ્રી બનાવવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો જોવા મળી રહ્યા છે જેને જોતા લાગી રહ્યું છે અંકલેશ્વર વિદ્યુતબોર્ડ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે.

Advertisement


Share

Related posts

અનામત મુદ્દે હાર્દિક પટેલ ફરી એકવાર આક્રમક મૂળ માં આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી બેસશે ઉપવાસ પર….

ProudOfGujarat

રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયુ : ડેમના ચાર ગેટ ખોલાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!