Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો નકુચો તોડી ઘરમાં મુકેલ ચીજવસ્તુઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.ઘરના તમામ સભ્યો ચોટીલા મંદિરે ગયા હોય તે દરમિયાન હાલ ઘર માં કઈ કઈ વસ્તુઓ ચોરી થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ તેમના સંબંધી હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરના માલિક હાલ ચોટીલા થી પરત ઘરે આવી રહ્યા છે અને શું શું વસ્તુ ઘરમાંથી ગયું છે તે આવીને તપાસ કરશે પરંતુ હાલ અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement


Share

Related posts

રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચના આરીફ બુટલેલની નેશનલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી કરાઈ.

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડામાં ખેતરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!