Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રાફિકની સમસ્યાઓ વાહનચાલકો માટે દિન-પ્રતિદિન માથાનો દુખાવો બની રહી છે, વહેલા તકે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા વિસ્તારથી લઈને અંકલેશ્વર ત્રણ રસ્તા સુધી રોજ સાંજે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે જેના કારણે હવે અંકલેશ્વરની પ્રજા ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ટ્રાફિક જાણે રોજનો એક માથાનો દુખાવો બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલ અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા ગેરકાયદેસર દબાણના કારણે થતી હોય છે.તંત્ર આ મુદ્દા પર ધ્યાન આપે અને વહેલા તકે અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર જે દુકાનદારો દબાણ કરી બેઠા છે એ તમામ દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેવી હવે અંકલેશ્વરની પ્રજા માંગ કરી રહી છે.અંકલેશ્વરના ટ્રાફિકના જવાનો પણ આ ગેરકાયદેસર દબાણના કારણે ટ્રાફિક કંટ્રોલ નથી કરી શકતા એવું નજરે પડી રહ્યું છે.

Advertisement



Share

Related posts

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડની રજૂઆત.

ProudOfGujarat

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે વલસાડમાં સંકલ્પ પૂર્ણ કરવાની રૂપાણીની ખાતરી : શ્રેણીબદ્ધ લોકોપયોગી યોજનાઓ અમલમાં મુકવા બદલ પણ વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

ProudOfGujarat

આવતીકાલે તારીખ ૨૮-૦૪-૧૯ ના રોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!