Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

Share

દિનેશભાઇ અડવાણી

ગઈકાલે લાંબી માંદગી બાદ કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલનું મુંબઈ ખાતે નિધન થયું હતું.જેને લઈને રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયતમાં જયેશ ભાઈએ લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હતા.તેઓ એક સારા ખેડૂત આગેવાન હતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા લડત આપી હતી.તેઓના નિધનથી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સારા નેતા ઉપરાંત ભરૂચ જિલ્લાએ લડાયક વ્યક્તિત્વ ગુમાવ્યું છે.જેમની ખોટ હંમેશા વર્તાતી રહેશે.અહમદભાઈ પટેલે તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.તેઓ જયેશ પટેલની માંદગી દરમિયાન સતત તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા હતા.આ દુઃખદ સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement


Share

Related posts

ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારના ભરચક બજારમાં પરણિત યુવતીનુ અપહરણ થતા ચકચાર

ProudOfGujarat

લેપ્‍ટોસ્‍પાયરોસીસ રોગના નિયંત્રણ માટે બેઠક મળી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!