Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: રાજધાની એક્ષપ્રેસની ટક્કરે શ્રમજીવીનું મોત.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ગત રાત્રિના સુમારે મુંબઈ થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે એક અજાણ્યો ઈસમ જેની ઉંમર આશરે ૨૮ થી ૩૦ છે તેને ટક્કર વાગતા ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

આ ઘટનાની જાણ GRPના જવાન રણજીતસિંહ ઈશ્વરસિંહને થતાં તે પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ગયા હતા. પોલીસે લાશનું પંચનામું કરી કબજો મેળવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.પોલીસે મૃતકની તલાસી લેતાં તેની પાસેથી બે હાજરી કાર્ડ મળી આવ્યું હતું જેમાં હરેશભાઇ પરમાર અને બીજા કાર્ડમાં કમલેશ પ્રજાપતિ નામ લખાયેલ હતું.આ સિવાય બીજી કોઇ ઓળખ ના મળતા પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની શોધખોળ આરંભી હતી.


Share

Related posts

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નારાયણ વિધાલય અને જિલ્લા શિક્ષણાધિકારીના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે નારાયણ વિદ્યાલયના પટાંગણમાં વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વહેલી સવારે કોરોનાનાં 19 પોઝીટીવ કેસો નોંધાયા કુલ આંકડો 700 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!