Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: રાજધાની એક્ષપ્રેસની ટક્કરે શ્રમજીવીનું મોત.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ગત રાત્રિના સુમારે મુંબઈ થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે એક અજાણ્યો ઈસમ જેની ઉંમર આશરે ૨૮ થી ૩૦ છે તેને ટક્કર વાગતા ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

આ ઘટનાની જાણ GRPના જવાન રણજીતસિંહ ઈશ્વરસિંહને થતાં તે પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ગયા હતા. પોલીસે લાશનું પંચનામું કરી કબજો મેળવી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.પોલીસે મૃતકની તલાસી લેતાં તેની પાસેથી બે હાજરી કાર્ડ મળી આવ્યું હતું જેમાં હરેશભાઇ પરમાર અને બીજા કાર્ડમાં કમલેશ પ્રજાપતિ નામ લખાયેલ હતું.આ સિવાય બીજી કોઇ ઓળખ ના મળતા પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની શોધખોળ આરંભી હતી.


Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાંથી બાતમીનાં આધારે 150 ગ્રામ જેટલા ચરસ સાથે એક આધેડ ઈસમને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

ProudOfGujarat

જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!