Proud of Gujarat
FeaturedGujarat

ઉત્તરપ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ નરસંહારની માહિતી લેવા જતા કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતા ભરૂચ ખાતે તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભારત દેશને હચમચાવી મૂકે એવો અને આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના સોનભદ્ર વિસ્તારમાં થયેલ હિંસક અથડામણના પગલે ઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી કથળી ગઈ છે તે બાબત સાબિત કરે છે ત્યારે આટલા નરસંહાર બાદ પણ લોકશાહીના સિદ્ધાંતો અને કાયદાઓને નેવે રાખી પ્રસાસન દ્વારા જાત માહિતી લેવા માટે જતા રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહામંત્રી અને રાષ્ટ્રીય સ્તરના નેતા પ્રિયંકા ગાંધી ને રોકવામાં આવ્યા જે લોકશાહી માટે એક પુરાઘાત સમાન ઘટના કહી શકાય.પ્રસાસન દ્વારા કરાયેલ શ્રીમતી ગાંધીની ઘટના સ્થળ ખાતે જતા અટકાવાની બાબત ઘણું બધું સૂચવે છે.લોકશાહીના સિદ્ધાંતો નેવે ચડાવી ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશની સરકારની રીતિ-નીતિ સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપખુદશાહી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે અને દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે ત્યારે અને જયારે કોંગ્રેસ ના નેતા અને તે પણ રાષ્ટ્રીય સ્તરના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી ને ઘટના સ્થળે જતા અટકાવવામાં આવે તે દુઃખદ ઘટના કહી શકાય જેને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી નાખવામાં આવે છે.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રવક્તા નાઝુ ફળવાલા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

આજે બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ.

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા નજીક ટ્રેકટરની અડફેટે બાઇક સવાર ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!