Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરના ગાંધી બજારના વેપારીઓ વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ જયારે મંદી અને મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે આમ પણ વેપાર ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે ગાંધી બજારના વેપારીઓએ તેમની દુકાનની પાસેથી ઉભરાતી ગટરોના પગલે ગ્રાહકો આવતા નથી. ગ્રાહકોને દુકાન સુધી પોહ્ચવા પાટિયા પરથી પસાર થવું પડે છે. એટલું જ નહિ પરંતુ કેટલીકવાર ગટરો બ્લોક થતા ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. જેના પગલે ગ્રાહકોને વધુ તકલીફ પડી રહી છે. તેવામાં વરસાદ વર્ષે ત્યારે વરસાદનું અને ગટરનું પાણી ભેગું થતા જળબંબાકારના દ્રશ્યો સર્જાય છે.ગાંધી બજાર વર્ષો થી ભરૂચ નગર માટે મુખ્ય વેપારી મથક છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આજે પણ લોકો છૂટક અને જથ્થાબંધ ચીજવસ્તુઓની ખરીદી કરવા આવે છે. આ સમસ્યા અંગે વારંવાર ભરૂચ નગર પાલિકા અને અન્ય તંત્રને લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે વેપારીઓ આંદોલનનું શસ્ત્ર ઉગામે તેવી સંભાવના છે.

Advertisement


Share

Related posts

નર્મદામાં થતાં આડેધડ રેત ખનનને લઇને ભરૂચના સાંસદે કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

અશ્લીલ ફોટો અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલ કરી નાણાં માંગતા ઈસમની ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

કપડવંજ : લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ : રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!