Proud of Gujarat
FeaturedGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શ્રમદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

સ્વચ્છતા પખવાડીયા ઉજવણી અંતર્ગત આયોજીત શ્રમદાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામક શ્રી ઝયનુલ આબેદ્દીન સૈયદના માર્ગદર્શન હેઠળ આજરોજ હેરીટેજ વોક વે ટાવરરોડ સરદાર મંઝીલ પાસે આર.એસ.દલાલ હાઇસ્કુલનાં સહયોગથી આયોજીત કરાયો હતો. સંસ્થાનાં સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ધ્વારા પવિત્ર નદી નર્મદાનાં કાઠા વિસ્તાર ઉપર નિયામકશ્રીનાં હસ્તે વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી. પર્યાવરણની સમતુલા માટે વૃક્ષોનું જતન કરવાની હાલનાં સંજોગોમાં તાતી જરૂરિયાત હોય દરેક વ્યકિતદીઠ એક વૃક્ષ ઉછેરીને કાર્યક્રમ સફળ બનાવીએ તેવી નેમ રાખી સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે સંસ્થાના સ્ટાફ સભ્યો સર્વશ્રી સેજલબેન શાહ, ગીતાબેન સોલંકી, શ્રી ઝેડ એમ શેખ, ડિ.આર.સીંધા વગેરે ધ્વારા શ્રમદાન સાથે વૃક્ષારોપણી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેંકએ વ્યક્તિગત લોન પૂરી પાડવા માટે નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી.

ProudOfGujarat

ઝઘડિયાના કપલસાડી ગામે ઔદ્યોગિક પ્રદુષિત પાણી અટકાવવા કરેલ રજુઆતના બે મહિના બાદ પણ કોઇ પરિણામ નહિ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!