Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા રાજગોર બ્રાહ્મણ સમાજ નો સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો હતો

Share

ભરૂચ જિલ્લા રાજગોર બ્રાહ્મણ સમાજ નો સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો હતો
દર વર્ષ ની જેમ આ વષૅ પણ આજરોજ રક્ષાબંધન નિમિતે તા ૧૫/૦૮/૨૦૧૯ના રોજ ભરૂચ જીલ્લા રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા ભરૂચ લિંક રોડ સ્થિત નારાયણ બાપુ ના આશ્રમ ખાતે સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતુ, આ કાર્યક્રમ ની શરૂઆત નર્મદાષ્ટકમ્ ગાન થઈ કરવામાં આવી હતી ત્યારે બાદ ઉપસ્થિત સમાજ ના અગ્રણીઓ એ સમાજ ના દરેક વ્યક્તિએ સમાજ, રાજ્ય અને દેશ ના ઉત્થાન માટે એક સંપ થઈ ને કાર્ય કરવા હાકલ કરી હતી અને સૌ મેં રક્ષાબંધન અને સ્વતંત્રય દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી, આ કાર્યક્રમ માં ભરૂચ ની નામાંકિત કોલેજ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ના જીએસ તરીકે ચૂંટાયેલા ભવ્ય તેરૈયા અને આજ કોલેજ માં એલઆર તરીકે ચૂંટાયેલ સૃષ્ટિ તેરૈયા નુ સન્માન કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે રતીભાઈ મહેતા, પ્રવિણભાઇ તેરૈયા, ગીરીશભાઈ જોશી, સુરેશભાઈ જોશી, બીપીનભાઈ જોશી, રમણિકભાઈ જોશી, હેમંતભાઇ તેરૈયા સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યા માં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામેથી ગુમ થયેલ 15 વર્ષીય તરુણને પોલીસે ભુસાવલથી શોધી કાઢ્યો

ProudOfGujarat

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

ProudOfGujarat

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!