Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે અલગ-અલગ રાજ્યોનાં પોલીસ સ્ટેશનમાં ચોરી/લૂંટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આંતરરાજ્ય ગેંગનાં આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર, વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ,ગત વર્ષ કરતા સારું રહ્યું જિલ્લા નું પરિણામ…તમામ વિધાર્થીઓને શુભેચ્છાઑ

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજના આચાર્યને સંસ્કૃતના શ્રેષ્ઠ પ્રોફેસર તરીકે સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!