Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના 11 સરકારી શાળાના ધો-6,7 ના વર્ગો નવા શૈક્ષણિક સત્ર સાથે બંધ કરાયા.

Share

 
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):સમગ્ર ગુજરાત રાજ્યમાં 11મી જૂન થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.ત્યારે નર્મદા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાની કુલ 11 સરકારી શાળાઓના ધોરણ-6,7 ના વર્ગો બંધ કરાયાનો નિર્ણય લેવાયો છે.
વર્ષો અગાઉ પ્રાથમિક શિક્ષણમાં ધો-1 થી 7ની શાળાઓ પ્રાથમિક શાળામાં ગણાતા હતા.જો કે હાલમાં શૈક્ષણિક પદ્ધતિમાં બદલાવની સાથે ધો-1 થી 5 ની શાળા પ્રાથમિક અને ધો-6 થી 8 ની શાળાઓ અપર પ્રાયમરી શાળાઓ તરીકે ઓળખાય છે.જે શાળાઓમાં ધો-6 અને 7 માં વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવવામાં આવી હતી અને એસ.એસ.સી ની મંજૂરી બાદ નર્મદા જિલ્લાની 11 શાળાઓમાં સંખ્યાના અભાવે ધો-6 અને 7 ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.જો શાળાઓમાં ઓછી સંખ્યા હોય તે છતાં જો વર્ગો ચાલુ રહે તો નિયમ મુજબ ધો-8 માં 3 શિક્ષકોને મુકવા પડે છે.જેથી સરકારી ભારણ પણ વધે છે તો  RTI ના કાયદા મુજબ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે,પ્રત્યેક બાળકને ફરજીયાત શિક્ષણ મળી રહે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું નર્મદા જિલ્લાની શિક્ષણ શાખામાંથી જાણવા મળ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાની 1, સાગબારા તાલુકાની 6, તિલકવાડા તાલુકાની 4 મળી કુલ 11 શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી ધો-6 થી 7 ના વર્ગો બંધ કરાયા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિસ્તારમાં કોરોનાનાં વધતા જતા વ્યાપ સામે જયાબેન મોદી હોસ્પિટલ સહીત અન્ય ખાનગી કોવીડ સેન્ટરો બનાવવાની સામાજિક સંગઠન દ્વારા માંગ કરાઈ.

ProudOfGujarat

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

ભરૂચ સિટી પોલીસનાં કાર્યક્ષેત્રમાં કાંટા ધરાવતું ફૂલ ગુલાબી પ્રોહીબિશનનું ચિત્ર… ઉપર આંકડાકીય માયાજાળમાં કામગીરી દેખાય જયારે વાસ્તવમાં ગલીગલી બુટલેગરોનું શોર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!