Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાં વનવિભાગે મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા

Share

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તાર નજીક આવેલ તળાવમાં મગરે દેખા દેતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તેમજ આવનાર દિવસોમાં ગણેશ મહોત્સવ હોવાથી આમોદ ના ગણેશ મંડળો પાડવા સુદ દસમના દિવસે આમોદના તળાવ ખાતે વિસર્જન કરતા હોવાથી ગામ પંચાયત ભીમપુરા ને વિનંતી ના અનુસંધાને આમોદ વનવિભાગને મગર પકડવા માટે રજૂઆત કરી હતી જેઠી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કિરપાલ સિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તળાવ ખાતે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું જેમાં અનિલ ચાવડા એ ભારે જહેમત બાદ અંદાજિત ફુટ લાંબા મગરને પકડી પાડ્યો હતો મગર પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના લોકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા મગરને પાંજરે પુરી વનવિભાગે કદર ડેમના પાછળના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો વન વિભાગે ભીમપુરા ગામ ના રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાંથી મગર પકડી પાડતા ગણેશ મંડળો ભયમુક્ત થયા હતા.

રીપોર્ટર ઇરફાન પટેલ આમોદ

Advertisement

Share

Related posts

નડીઆદ હેલિપેડ ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસનું લોકાર્પણ તા.29 એ કરાશે.

ProudOfGujarat

અંક્લેશ્વર જીઆઇડીસીની સનફાર્મ કંપનીમાં મોડી રાત્રે ધડાકાભેર લાગી ભીષ્ણ આગ

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાફડા જલેબી ખાવા માટે લોકોની લાગી લાંબી લાઈનો : જાણો શા માટે ખાવામાં આવે છે ફાફડા અને જલેબી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!