Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન                

Share

 (પેટા-તસ્કરોએ બંધ મકાનની બારી તોડી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ચોર્યા)
 ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ સોસાયટીના રહીશના બંધ મકાનને નિશાન બનાવી બારીની ગ્રીલ તોડીને રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ જતા તાલુકાના રહીશોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
       ઓલપાડ ટાઉનની શિવાલીક સોસાયટીના મકાન નંં:૧૦૪ માં રહેતા પાંડુરંગ રામદાસ ભામરે નિવૃત્તિ જીવન ગુજારે છે.તેઓ આજે સોમવારે બહારગામ ગયા હોવાથી તેનું મકાન બંધ હતું.જેથી બંધ મકાનનો લાભ ઉઠાવી કોઇ અજાણ્યા તસ્કરોએ બપોરે ૧ઃ૩૦ કલાકથી સાંજે ૭ કલાકના હરકોઇ સમયે મકાનના હોલની બારીની ગ્રીલ અને સ્લાઇડરીંગ તોડી મકાનમાં ઘુસ્યા હતા.જ્યારે મકાનમાં ઘુસેલા તસ્કરોએ બેડરૂમના કબાટનું લોક તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.જા કે પાંડુરંગ ભામરે મોડી સાંજે ઘરે આવ્યા ત્યારે,તેમના મકાનમાં ચોરી થયાનું જણાતા તેમણે ઓલપાડ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પ્રેમનો આવો તો કેવો વિચીત્ર નિયમ કે અઢળક પ્રેમ આપવા છતાં પણ સામે દર્દ મળ્યુ…

ProudOfGujarat

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા લાખો રૂપિયાના કબ્જે કરેલ વાહનોનો આખરે નિકાલ ક્યારે આવશે…?

ProudOfGujarat

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!