Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

વિસાવદરના સરસઈ ગામે વાડી માં પ્રેમી પંખીડાનો ગળા ફાંસો ખાઈ આપઘાત

Share

ગતરોજ તા ૨૦ ના સાંજના છ કલાકના સુમારે વિસાવદર ના સરસઈ ગામે રહેતા લાલભાઈ કુરજીભાઈ વિરડીયાની વાડીએ ભાગીયું રાખતા મૂળ જૂનાગઢના ડુંગરપુર ગામના રાજુભાઈ ધીરુભાઈ સોલંકી. તેમજ રમેશભાઈ સોલંકી દેવીપુજક પરિવાર રહે છે જેમાં મરનાર યુવક અને યુવતી બન્નેના પરિવાર સાથે રહેતા હતા જેથી મરનાર શુભાષ ધીરુભાઇ સોલંકી.ઉ.વર્ષ -૧૯ અને અનિતા રમેશભાઈ સોલંકી ઉ.વર્ષ-૧૮ બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો જયારે યુવતી ની સગાઈ મરનારના મોટા ભાઈ રાજુ સાથે છ મહિના પહેલા થઈ હતી જેથી બન્ને પ્રેમીઓને સમાજ એક નહિ થવા દયે તેવું મનમાં માની લીધું હતું અને ગુરુવારના રાત્રે બન્ને ઘરેથી ચાલીયા ગયા હતા જયારે સવારે બન્ને પરિવારમાં ખબર પડતાં તેને તેની શોધ ખોળ કરી હતી અને શુક્રવાર ના એજ ગામના ખેડૂતના આંબા ના બગીચામાં બન્ને ની લાશ જાડ પર લટકતી જોવા મળી હતી વધુમાં વિસાવદર પોલીસ તપાસ ચલાવી રહી છે.

અહેવાલ
કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

વરસાદની મહેર થતા ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા ખેડુતો.

ProudOfGujarat

અંકલેશ્વર: પીવાનું પાણી પહોંચાડતા તળાવમાં જ બાળકો ન્હાવા પડતા પ્રજાનું સ્વાસ્થય ખતરામાં…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૧ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૦૯ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!