Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ સ્થિત સનાતન ધર્મ પરિવારના ગુરુ આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

Share

શરદ પૂર્ણિમા નિમિતે સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના નર્મદેશ્વર મંદિર સામે ગુરુ આશ્રમ ખાતે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભગવાન સત્યનારાયણની કથાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો જે બાદ રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંજે મહા આરતી, સંત સોમદાસ બાપુએ ભક્તોને અમૃતવાણીમાં રસપાન કરાવ્યું હતું જે બાદ રાતે મુકેશ વાઘેલા અને તેઓના વૃંદે વિવિધ ભજનોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન ધનજી પરમાર,બલદેવ આહીર, મહિન આહિર,અમર પટેલ, કિશોર પ્રજાપતિ, ભાણા ચૌધરી આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાંથી આંક ફરકના આંકડાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદ: અમદાવાદ ઈન્દોર હાઈવે પર ડીવાઈડર સાથે અથડાતા ત્રણ યુવકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!