Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

Share

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા મીનાબહેન વસાવાના પરિવારના ચાર વર્ષના પુત્ર ધનરાજને તાવ આવતો હોય તેને સ્ટેશન રોડ પર આવેલ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરી દવા આપી હતી આ બાદ તારીખ ૭ ઓક્ટોબરે ધનરાજની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો જો કે તારીખ ૮ ઓક્ટોબરનાં રોજ તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે શહેર પોલીસને અરજી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2371 થઈ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલીના તલાટી કમમંત્રી એ સરપંચ સાથેના મેળાપીપણામાં ₹.7,43,484 ની ઉંચાપત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા.

ProudOfGujarat

રાજકોટમાં આજે મોત શૂન્ય, બપોર સુધીમાં 8 કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!