Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Share

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં ગતરોજ સાંજના સમયે 15 જેટલી ભેંસોના ટપોટપ મોત નિપજ્યા હતા મુંગા પશુઓના મોત થયા હોવાની જાણ પશુ માલિકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ગામના સરપંચ અને પશુ દવાખાને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી અન્ય ગાય-ભેંસને ઝેરી અસર થઇ હોય તેઓને સ્થળ પર સારવાર આપી હતી મૃત ગાય-ભેસનું પોસ્ટમોર્ટમ કર્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તબક્કે પશુઓએ ઝેરી પદાર્થ આરોગી જતા મોત નિપજ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અચાનક 15 જેટલા પશુઓના મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

580 કિલો ગાંજાના કેસમાં ચાર દોષિતોને 15 વર્ષની સજા, રૂપિયા 1 લાખ દંડ

ProudOfGujarat

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!