Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંક્લેશ્વર માં માનસી મોટર્સનાં કર્મચારીએ આરટીઓ માં જમા કરવાના રૂપિયા 5 લાખ 51 હજાર પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે.

Share

પોલીસ સૂત્રીય માહીતી મુજબ અંકલેશ્વર ના રાજકમલ આર્કેડ પાસે આવેલ માનસી મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહે શહેર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર માનસી મોટર્સમાં આરટીઓ ને લગતા કામ કરતા અને જીઆઇડીસી માં પૂનમ સોસાયટી માં રહેતા કર્મચારી જ્યુબીલ મોતીભાઈ ઘડીયે તારીખ 1 – 08 – 2018 થી 21 – 12 – 2018 દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતા રૂપિયા માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી દીધા હતા.જે અંગેની જાણ માનસી મોટર્સમાં થતા જયુબીન ઘડીયા એ કરેલી રૂપિયા 5 લાખ 51 હજાર ની ઉચાપત અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

એક તરફ પદ્માવત ફિલ્મ આવતી કાલે રીલીઝ થવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ મલ્ટીપ્લેક્ષ થિયેટર વાળા પોતાના થીયેટરમાં ફિલ્મ રીલીઝ કરવાની નાં પાડે છે. કાલે શું થશે ? સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ ફિલ્મ તો કાલે રીલીઝ થશે.

ProudOfGujarat

વડોદરા : અંડર કેબલિંગનું કામ આડેધડ કરતાં કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર અતુલ ગામચીની માંગ.

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશ ગંગા સોસાયટીમાં 2 શખ્સોએ ચપ્પુની નોક પર 30 તોલા સોનુ અને નાણાંની લૂંટ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!