Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંક્લેશ્વર માં માનસી મોટર્સનાં કર્મચારીએ આરટીઓ માં જમા કરવાના રૂપિયા 5 લાખ 51 હજાર પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે.

Share

પોલીસ સૂત્રીય માહીતી મુજબ અંકલેશ્વર ના રાજકમલ આર્કેડ પાસે આવેલ માનસી મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહે શહેર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર માનસી મોટર્સમાં આરટીઓ ને લગતા કામ કરતા અને જીઆઇડીસી માં પૂનમ સોસાયટી માં રહેતા કર્મચારી જ્યુબીલ મોતીભાઈ ઘડીયે તારીખ 1 – 08 – 2018 થી 21 – 12 – 2018 દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતા રૂપિયા માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી દીધા હતા.જે અંગેની જાણ માનસી મોટર્સમાં થતા જયુબીન ઘડીયા એ કરેલી રૂપિયા 5 લાખ 51 હજાર ની ઉચાપત અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માંટે તત્રં દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર કાર્યરત કરાયું.જેની મુલાકાત અધિકારીઓએ લીધી…

ProudOfGujarat

નીતિન પટેલની લપસી જીભ : ભરૂચના નર્મદા મૈયા બ્રિજને જણાવ્યો ગંગા મૈયા બ્રિજ : હોમવર્ક વગર બોલી જવાની નેતાઓની આદતની ચર્ચા…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સોશિયલ મીડિયા અને ન્યુઝમાં રેશનિંગનાં ઘઉં પકડાયાનાં સમાચાર વહેતા થતા લખતરનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!